Thursday, 3 September 2015

સર્વપલ્લી રાધાકૃષ્ણન (તેલુગુ:సర్వేపల్లి రాధాకృష్ణ, તમિલ:சர்வேபள்ளி ராதாகிருஷ்ணன்), ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. Quick facts: ભારતના રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન, సర్వేపల్లి రాధాకృష్ణ சர்வேபள்ளி ராதாகிருஷ்ணன், જન્મની વિગત ... ભારતના રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન, సర్వేపల్లి రాధాకృష్ణ சர்வேபள்ளி ராதாகிருஷ்ணன் ભારતનાં ૨ જા રાષ્ટ્રપતિશ્રી જન્મની વિગતપાંચમી સપ્ટેમ્બર, ૧૮૮૮ તિરૂત્તાની, તામિલ નાડુ, ભારતમૃત્યુની વિગતસત્તરમી એપ્રિલ, ૧૯૭૫ ચેન્નઈ, તામિલ નાડુ, ભારતકાર્યકાળ૧૩ મે, ૧૯૬૨ થી ૧૩ મે, ૧૯૬૭પુરોગામીરાજેન્દ્ર પ્રસાદઅનુગામીડૉ. ઝાકીર હુસૈનઅભ્યાસતત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ખિતાબભારત રત્ન, સર (બ્રિટીશ)ધર્મવેદાંત,હિન્દુજીવનસાથીશિવકામ્મા (Sivakamamma)સંતાન૫ પુત્રી,૧ પુત્ર સર્વપલ્લી ગોપાલ નોંધ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિનતરીકે ઉજવાય છે. Close તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ(૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ(૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. જીવન સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ,તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.

No comments:

Post a Comment